Safala Ekadashi

Safala Ekadashi – Jai Shri Krishna

0

Thanks Minesh Mehta for sharing.

Moksha Ekadashi

Mokshada Ekadashi

0

Thanks Minesh Mehta for sharing.

RepublicDay2012

January to March event list at Shrimaya Krishnadham temple

0

Upcoming Events:  

Events Date Timing Details
Damodardas Harsaniji Utsav Sun 1/22/12 3:00pm to 5:00pm flyer
Teen’s Gita Conference-1 Sun 1/22/12 5:00pm to 6:00pm flyer
India Republic CelebrationBAYVP Mangal Pravesh Utsav

Vasant Panchmi Celebration

Sun 1/29/12 3:00pm to 6:00pm Fun Fair, Games, Food stalls, Flag hoisting, Parade, Cultural program - flyer
Superbowl Sunday Sun 2/5/12 3:00pm to 5:30pm Regular Sunday Satsang
Shri Ranchodraiji (Dakor) no patotsav Sun 2/12/12 3:00pm to 5:30pm Sunday Satsang & Celebration
Shrinathji no patotsav (Satghara) Sun 2/19/12 3:00pm to 5:30pm Sunday Satsang & Celebration
Mahashivratri Utsav Sun 2/16/12 3:00pm to 5:30pm Regular Sunday Satsang
BAYVP Holi Raas Garba Sat 3/3/12 TBD *** Check back soon ***
Amalki Kunj Ekadashi Sun 3/4/12 3:00pm to 5:30pm Ekadashi Sunday Satsang
BAYVP Holi Pradeepan Wed 3/7/12 6:30pm to 8:30pm Poojan of Holy Fire
Dhuleti Celebration Sat 3/10/12 11:30am to 3:00pm Playing with color
Dolutsav Celebration Sun 3/11/12 3:00pm to 5:30pm Sunday Satsang & Celebration
SVM Kids Annual Program Sun 3/18/12 3:00pm to 6:00pm Ekadashi Sunday Satsang to be hosted by kids
Shree Yamunaji Utsav Celebration Sun 3/25/12 3:00pm to 5:30pm Sunday Satsang & Celebration
Ramnavmi Celebration Sun 4/1/12 3:00pm to 5:30pm Sunday Satsang & Celebration
Shrinathji

પાટોત્સવનો મહિમા ગોવર્ધનધારી શ્રીનાજીને જાણ્યા વગર અધુરો

0

ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું. શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે.

શ્રીમદ્ ભાગવતના મતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે. તે અવતારી પુરુષ છે. અન્ય ઘણા બધા દેવતાઓ તેમના અંશાવતાર છે. ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભકતોને દુન્યવી પ્રપંચ લીલાઓમાંથી મુકત કરે છે. દ્વાપરયુગમાં માત્ર સાત વર્ષની વયે તેમણે પોતાની અલૌકિક લીલા વડે ચમત્કારિક ઘટના કરી હતી. તે સમયે દેવરાજ ઈન્દ્રે વ્રજવાસીઓ પર કોપાયમાન થઈ ભીષણ વરસાદ વરસાવ્યો હતો. આ સમયે ભગવાન શ્રીકૃષ્ણ આ વ્રજવાસીઓની વહારે ધાયા હતા.

તેમણે પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઊંચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ ઈન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું. તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓએ ઈન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઈન્દ્રદમન, કાલિયા નાગ માટે નાગદમન, બ્રહ્ના, વરુણ, યમરાજ, કામદેવ વગેરેનું અભિમાન ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત બન્યા હતા. કલિયુગમાં તે ગિરિરાજ ગોવર્ધન પર પ્રકટ થઈ શ્રીનાથજીના નામે જગપ્રસિદ્ધ થયા.

શ્રીનાથજીની પ્રાકટ્ય કથા પણ અદભૂત અને રોચક છે. ગિરિરાજની એક કંદરામાંથી શ્રીનાથજીની ઊધ્ર્વભુજાનું પ્રાકટ્ય વિ.સં. ૧૪૬૬ને શ્રાવણ વદ ત્રીજની તિથિએ વહેલી સવારે પ્રાત: કાળે શ્રવણ નક્ષત્રમાં થયું, પરંતુ વ્રજવાસીઓને તેમની ભુજાનાં દર્શન શ્રાવણ શુક્લ પંચમીએ થયાં. તેમની પૂજા ૬૯ વર્ષ સુધી થતી રહી. દેવદમનની માનતાના કારણે અનેક વ્રજવાસીઓના મનોરથો પૂરા થયા. વિ.સં. ૧૫૩૫ની વૈશાખ વદ એકાદશીએ ભકતોને તેમના મુખારવિંદનાં દર્શન થયાં.

આ જ દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો. વિ.સં. ૧૫૪૯ની ફાગણ સુદ એકાદસીએ ઝારખંડમાં વલ્લભાચાર્યને શ્રીનાથજીએ ગિરિરાજ પર્વત પર તેમની પાસે આવીને સેવા કરવાની આજ્ઞા કરી. શ્રાવણ સુદ બારસના દિવસે મહાપ્રભુજી પાંચ સેવકોની સાથે ગિરિરાજ પર જ્યારે આવ્યા ત્યારે શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના પરમ ભકત અને અંશસ્વરૂપ વલ્લભચાર્યજીને આલિંગન આપ્યું. આવા અવિસ્મરણીય અને અલૌકિક ર્દશ્યને જોઈ દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પવર્ષા કરી.

ભગવાન શ્રીનાથજીએ મહાપ્રભુજીને કહ્યું કે વગર સેવાએ પુષ્ટિમાર્ગમાં જીવનો અંગીકાર ન થઈ શકે. તમે મને આસન પર બેસાડો અને જગતના ઉદ્ધાર માટેની મારી સેવાનો પ્રારંભ કરો. ત્યારબાદ વલ્લભાચાર્યજીએ રાજસ્થાનના મેવાડ રાજ્યના ઉદયપુરની પાસે સિહાડ નામના સ્થળે વિ.સં.૧૫૫૯ને વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રીનાથજીના નૂતન મંદિરના કાર્યનો પ્રારંભ થયો. વિ.સં. ૧૫૭૬માં ગિરિરાજના બ્રહ્નશિખરના મધ્યભાગે શ્રીનાથજીનું ઐતિહાસિક મંદિર પૂર્ણ થયું અને અખાત્રીજના શુભ દિવસે શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી અને આ મંદિરમાં શ્રીનાથજી વિ.સં. ૧૭૨૬ સુધી બિરાજમાન રહ્યા.

આ જ વર્ષે શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ ગંગાબાઈ નામની એક વૈષ્ણવ મહિલા મંદિરના બધા જ સેવકોની સાથે શ્રીનાથજીના દેવ વિગ્રહને રથમાં મૂકી વ્રજમાંથી નીકળી પડી. ગંગાબાઈની આ યાત્રા આગ્રા, કોટા-બુંદી, પુષ્કર, કિશનગઢ તથા જોધપુર થઈને બે વર્ષ ચાર મહિના અને સાત દિવસ પછી વિ.સં. ૧૭૨૮માં ફાગણ વદ સાતમના દિવસે સિહાડ ગામે આવી પહોંચી. રથ ત્યાંથી આગળ ન વધતાં એવું માની લેવામાં આવ્યું કે શ્રીનાથજી ત્યાં જ સ્થાયી થવા ઇચ્છે છે. ત્યારથી ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું.

શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને શંખનાદ કરવામાં આવે છે. ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે. ચારેબાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે. ફાગણ માસમાં એકાદશીએ કુંજનાં દર્શન થાય છે. આ દર્શન બગીચામાં કરાવવામાં આવે છે. આ દર્શનમાં હોળીનો ભારે ખેલ થાય છે ત્યારેબાદ હોળી આવે છે. હોળી ખેલનો ભારે મનોરથ થાય છે અને ભવ્ય ડોલોત્સવ મનાવવામાં આવે છે. નાથદ્વારામાં આખંુ વર્ષ અવિરતપણે ઉત્સવો ઊજવાતા હોય છે.

અહીંની એક-એક વસ્તુ પાછળ ધર્મની સાથે કલા અને વૈભવનાં અદભૂત દર્શન થાય છે. આ એક વૈષ્ણવ સંપ્રદાયની અનોખી પરંપરા છે અને એમાં સંસ્કૃતિ સાથે ઊજવાતા ઉત્સવોનું અનેરું મહત્વ છે. નાથદ્વારાની ગલીએ ગલીઓ વહેલી સવારથી જ આનંદ, ઉલ્લાસ અને ભક્તિ ભાવનાથી રંગેચંગે ઊછળતી હોય છે. વર્ષ દરમિયાન ઊજવાતા ઉત્સવોમાં પ્રભુની સેવા બહુ નિયમબદ્ધ રીતે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આપણા પરંપરાગત રીતરિવાજ અનુસાર પ્રભુનાં વસ્ત્રો, આભૂષણો, શણગાર, ગીત, સંગીત, ઝૂલા, શ્રીજીને અર્પણ કરાતો ભોગ, પ્રભુનાં ગવાનાં પદો અને ધાર્મિક વિધિનું ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત ઉત્સવોનું વલ્લભ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં પણ અનેરું મહત્વ છે.

શ્રીનાથજી ભગવાનના જુદા જુદા આઠ સમાનાં દર્શન કરવા એ પણ વૈષ્ણવ ભકતો માટે અમૂલ્ય લહાવો છે. નાથદ્વારામાં સાંજની આરતી પછી શ્રીનાથજીની ગોવર્ધન યાત્રા માટે રોજ સુવર્ણરથ સજાવવામાં આવે છે. શ્રીનાથજી રાત્રે આ સુવર્ણરથમાં ગિરિરાજજીના શિખર પર જાય છે અને ત્યાં જ શયન કરે છે. બીજે દિવસે સવારની આરતીના સમયે શ્રીનાથજીના ધૂળ લાગેલા રથ અને બળદની જોડીનાં દર્શન નાથદ્વારામાં કરાવવામાં આવે છે.

બીજી તરફ જતીપુરા વ્રજધામમાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં તેમના શયન માટે રોજ સાંજે ચંદનનો પલંગ બિછાવાય છે. રોજ સવારે પલંગ પર શ્રીનાથજીના રાત્રિ શયનના સંકેત મળે છે. દિવસભર શ્રીનાથજી નાથદ્વારામાં હોવાથી ગિરિરાજજીના મંદિરમાં શ્રીનાથજીની છબીની સેવા કરવામાં આવે છે. વ્રજવાસીઓને આપેલા વચન મુજબ રોજ રાત્રે શ્રીનાથજી ગોવર્ધન પર્વત પર આવીને વ્રજ-જતીપુરા સ્થિત પોતાના સ્થાને જ સૂઈ જાય છે. આમ શ્રીનાથજી ભગવાન ખૂબ જ ઉદાર, ભકતવત્સલ અને ખૂબ જ ચમત્કારી લીલાધર પ્રભુ છે. પોતાના અદભૂત માધુર્ય અને વિલક્ષણ લાવણ્યને લીધે સૌના ઘટ ઘટમાં બિરાજે છે.

Very nice article published on Divyabhaskar by સુનિલ એ. શાહ.

Go to Top